કેશોદમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનાર નરાધમને પોલીસએ ઝડપી લીધો

કેશોદ: કેશોદના સોદરડા ગામથી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ કરનાર ગૌરવ ઉર્ફે કાનો મનસુખભાઈ ચૌહાણને કેશોદ પોલીસે ઝડપી લીધા છે.

સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં ગુનાહિત કરમો માટે ભારતીય દંડ સંહિતા કલમ ૮૭, ૧૩૭(૨), ૬૪(૨)(એમ), ૬૫(૧), એટ્રોસીટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ કેશોદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કેશોદના ડીવાયએસપી બી સી ઠકકરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર પી એ જાદવ, કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા અને રોહિતભાઈ મોહનભાઈ ભંભાણાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સગીરાની તબીબી તપાસ પણ કરાવવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરીને કેસ કોર્ટમાં રજૂ કરાશે.

આ ઘટનામાં ખુલાસો થયો છે કે આરોપી ગૌરવ અગાઉ પણ પ્રોહિબીશન અને અન્ય ગુનાઓમાં પકડાયેલા લિસ્ટેડ ગુનેગાર છે.

આ ઘટના કેશોદમાં ચર્ચાનો વિષય બની રહી છે અને પોલીસ દ્વારા કાયદા અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અહેવાલ: રાવલિયા મધુ, જૂનાગઢ