કેશોદમાં સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મોં પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

કેશોદ:

સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે સન્માનનીય સિદ્ધિ વિનાયક દાદા ગણેશજીનો 16મોં પાટોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો. વહેલી સવારથી દાદાની આરતી અને હોમ હવન દ્વારા પવિત્ર કાર્યક્રમનો આરંભ થયો, જેમાં મહા પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સિદ્ધિ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે નિયમિત રીતે ગણેશ ઉત્સવ, નવરાત્રી અને અન્ય ધાર્મિક પ્રસંગોનું આયોજન કરે છે. આ શુભ પ્રસંગે કેશોદના જાણીતા અને અનામી વ્યક્તિઓએ દાદા વિનાયકજીની ઉપસ્થિતિમાં મહા પ્રસાદનો લાભ લીધો અને ધન્યતા અનુભવી.

કાર્યક્રમ દરમિયાન કેશોદના તમામ NGO દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરાઈ હતી અને હજારો લોકો આ પાવન પ્રસાદનો સન્માનપૂર્વક સ્વીકાર કર્યો.

અહેવાલ : રાવલિયા મધુ, જૂનાગઢ