કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

કેશોદ
આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ ના સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

કેશોદ જલારામ મંદિર ખાતે ના કેમ્પ માં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 316 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22524 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકો ને લાખો રૂપિયાની રાહત થયેલ છે .

જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે.

આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા જગમાલભાઈ નંદાણીયા, માલદેભાઈ નંદાણીયા જલારામ મંદિર નાં ટ્રસ્ટી, દિનેશ કાનાબાર, ડો સ્નેહલ તન્ના મહાવીર સિંહ જાડેજા, ડો પરિતોષ પટેલ. ડો ભૂમિ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ .
આ નેત્ર નિદાન કેમ્પમાં 154 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 52 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.

ડૉ ભૂમિ વણપરિયા એ સાંધાના દુઃખાવા, સાયટિકા વગેરે ની સારવાર નિઃશુલ્ક આપી હતી.

અશ્વિન ભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં 70 થી 80 જરૂરીયાતમંદ લોકો, સાધુસંતો ને નીરાધારો ને ભોજન આપવામાં આવે છે, માધાભાઈ બોરિયા, સુરેશભાઈ દ્વારા દર્દીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)