કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવાર ને ધ્યાને લઈ શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ હતી…

કેશોદ

કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવતા મુસ્લિમ સમાજ ના તહેવારો તાજીયા નિમિતે તમામ તહેવારો શાંતિ પૂર્ણ રીતે ઉજવણી થાય અને વરસાદ ની પણ આગાહી હોય ત્યારે આવનાર બે દિવસ માં તહેવાર ના સમયે વરસાદ મા કોઈ ઘટનાઓ ના બને તેવી તકેદારી ના ભાગ રૂપે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર તેમજ કેશોદ પોલીસ અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલ ના માર્ગ દર્શન હેઠળ આ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં કેશોદ ના ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પ્રમુખ પ્રવીણ ભાલારા. મુસ્લિમ સમાજ ના પ્રમુખ ઈસાભાઈ .તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગત વર્ષે તાજીયા ના તહેવાર માં ધોરાજી ની ગોઝારી ઘટના જેવી અન્ય કોઈ પણ જગ્યા પર ઘટના ના બને તે મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ PI અનિરુદ્ધ સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલી હતી અને આ બાબતે આગેવાનો એ તકેદારી રાખી વધુ ઉંચાઈ વાળા તાજીયા ના બનાવવા સૂચનાઓ અપાઈ હતી

અહેવાલ :- રાવલિયા મધુ કેશોદ