કેશોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્ય શાળા યોજાઈ.

કેશોદ

આજ રોજ કેશોદનાં ચારચોક વિસ્તારમાં આવેલ બાલમંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાનની એક કાર્ય શાળા કરવામાં આવી હતી જેમાં જુનાગઢ થી જિલ્લાના મહામંત્રી જય ભાઈ જિલ્લા ઉપપ્રમુખ નારાયણભાઈ ભેટારીયા તેમજ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભનુ ઓડેદરા, સંગઠન ઉપ પ્રમુખ મીતાબેન દવે વગેરે આગેવાનો હાજર રહ્યા હતા તેમજ કેશોદ શહેર તથા તાલુકાના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા જેમાં દર છ વર્ષે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન હોય છે 2024 માં પહેલી તારીખે નરેન્દ્ર ભાઈ મોદી સદસ્યતા અભિયાનના પ્રથમ સદસ્ય બનશે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાઈ અને વિશ્વની પ્રથમ રાજકીય પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી છે તેમાં વધારે સદસ્યો જોડાઈ તેવી અપીલ કરવામાં આવી હતી….

અહેવાલ :- રાવલિયા મધુ કેશોદ