કેશોદ હરે રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયો માટે 151 કિલોના લાડવા ગાયો માટે બનાવવામાં આવ્યા.

કેશોદ

કેશોદ હરે રામ ચેરીટેબલ ટ્રસ્ટ અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેમાં કબૂતરને ચણ, વિદ્યાર્થીઓની નોટબુક, જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કિટસ, તહેવારો પર અવનવી વસ્તુઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પરમારના જણાવ્યા મુજબ આજરોજ ગાયો માટે 151 કિલોના લાડવા બનાવવામાં આવ્યા હતા જેમાં સંપૂર્ણ આર્થિક સહયોગ હિરેનભાઈ રજનીકાંતભાઈ ઠાકર દ્વારા મળેલો હતો આ તકે વિવિધ વિસ્તારોમાં ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા જેમાં હરે રામ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)