કેશોદ APMC ખાતે આવનાર લાભ પાંચમ થી ખરીદી શરૂ થશે.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા ના કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ કેશોદ યાર્ડ ખાતે ચેરમેનશ્રી હમીરભાઈ કે. ડાંગરના અધ્યક્ષસ્થાને તમામ દુકાનદારોની એક મીટીંગ રાખવામાં આવેલ હતી ચેરમેન શ્રી ના જણાવ્યા પ્રમાણે આવનાર તા.૦૬/૧૧/૨૦૨૪ ને લાભપાચમથી માર્કેટીગ યાર્ડ શરૂ કરવા ચર્ચા વિચારણા કરવામા આવી હતી અને જેમા અંદાજે ૫૦ જેટલા દુકાનદારો સહમત થયા હતા અને લાભપાચમથી માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસી ઓની હરરાજી શરૂ કરવા સાથ સહકાર આપવા સહમત થયા હતા. જેથી તમામ ખેડુતોને ખરો તોલ, રોકડા નાણા અને ખુલ્લી હરરાજીનો લાભ મળે તે માટે વધુમાં વધુ પોતાના જણસનો માલ લઈ આવવા ખેડુતોને જાણ કરવા માં આવી છે. જેમા સીંગદાણાના વેપારીઓએ પણ ખરીદી કરવા સહમતી આપી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)