કોડીનાર, તા. ૫ જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને અન્ય આગેવાનો સાથે સખીમંડળની બહેનો દ્વારા આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લ્યો.
વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવામાં આવ્યો અને સખીમંડળની બહેનોને પ્રોત્સાહક ગિફ્ટ પણ વિતરીત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ દ્વારા નગરપાલિકા દ્વારા પર્યાવરણ જતનને વધુ મજબૂત બનાવવાની કદરપૂર્વક પહેલ આગળ વધારાઈ રહી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ