ખેડબ્રહ્મા ખાતે આર.એસ.એસ. પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સ્વયંસેવકો રહ્યા ઉપસ્થિત

સાબરકાંઠા

ખેડબ્રહ્મા ખાતે વિજયાદશમી પર્વ અને આર.એસ.એસ.ના શતાબ્દી વર્ષ નિમિત્તે પથ સંચલન કરવામાં આવ્યું હતું, સંગઠિત હિન્દુ સમગ્ર ભારત સૂત્રને સાકાર કરવાના તથા તેની વિચારધારાને સર્વ વ્યાપી બનાવવાનો હેતુ તેમાં સમાયેલ છે. યોજાયેલ આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં આર એસ.એસ. સ્વયંમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ પથ સંચલન ખેડબ્રહ્મા શહેરના વિવિધ માર્ગો ઉપરથી નીકળ્યું હતું. પથ સંચલન માર્ગો ઉપરથી સ્વયંમ સેવકો ઉપર પુષ્પ નાખી તેમને આવકારવામાં આવી રહ્યા હતા.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)