ટીંબડી :
શ્રી વેદમાતા ગાયત્રી સેવા શ્રમ ટ્રસ્ટ, ટીંબડી-પ્રાચી દ્વારા ગાયત્રી ધામ ખાતે નૈતિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ૧૦૮ ગાયત્રી મંત્ર અને ૧૦૮ મહામૃત્યુંજય મંત્રના ઉદ્ઘોષ સાથે પ્રાર્થનાથી કરવામાં આવી.
કેમ્પનું ઉદ્ઘાટન ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કુલ 55 દર્દીઓની ઓપીડી તપાસ કરવામાં આવી જેમાંથી 18 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
આ કેમ્પમાં રાજકોટ રણછોડદાસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફ સાથે ગાયત્રી સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ બાલુભાઈ ઝાલા, ટ્રસ્ટીઓ જનકભાઈ જાની, નાથાભાઈ સોલંકી, ભગવતસિંહ ઝાલા, પંકજકુમાર ઝાલા (એકસિસ બેંક મેનેજર, વેરાવળ) વગેરેનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
ગાયત્રી પરિવારની બહેનો મોતીબેન ઝાલા, શાંતાબેન તથા અન્ય સદસ્યો પણ ઉત્સાહભેર સહભાગી રહ્યા.
ચા-પાણી તથા ભોજનની વ્યવસ્થા શ્રી અતુલભાઈ અમૃતલાલ ગઢીયાએ તેમના પિતા સ્વ. ભરતભાઈ ગઢિયાના સ્મરણાર્થે કરાવી હતી.
અહેવાલ: દિપક જોશી, પ્રાચી