ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પરત : ગીર ગોપી ગૌશાળામાં “સ્વાવલંબનનો આધાર ગાય” અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યશાળાનું સફળ આયોજન


ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય આર્થિક સ્વાવલંબન માટે “સ્વાવલંબી ભારત અભિયાન”ના તહત તા. 14/05/2025ના રોજ ગીર ગોપી ગૌશાળા, જામકા ખાતે “સ્વાવલંબનનો આધાર ગાય” વિષયક કાર્યશાળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચાર તાલુકાના ખેડૂતોનો ઉપસ્થિતિયે ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. શરૂઆતમાં કૃષિ પ્રકોસ્ટના જૂનાગઢ વિભાગના પ્રમુખ પરસોત્તમભાઈ સિદ્ધપરાએ પ્રાકૃતિક ખેતીનો આધાર ગણાતા ગૌમાતાનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મહત્વ સમજાવ્યું. તેઓએ પોતાના 25 વિઘાની ખેતીથી આજે 300 વિઘા સુધી પ્રાકૃતિક ખેતીની સફર શૅર કરી, તથા ગૌ આધારિત ખેતીના અમૂલ્ય લાભો ગાઉં ગાઉં પહોંચાડવાનો સંદેશ આપ્યો.

પછી, અભિયાનના વિભાગ સંયોજક ડો. દિનેશ ડઢાણિયા દ્વારા સ્વાવલંબી ભારત અભિયાનની સમગ્ર રાષ્ટ્રીય રણનીતિની માહિતી આપી. ત્યારબાદ પ્રાકૃતિક FPO સાથે સંકળાયેલા ડો. રમેશ સાવલિયાએ પ્રાકૃતિક ખેતીના વૈકલ્પિક પદ્ધતિઓ જેમ કે જીવામૃત, ઘનજીવામૃત વગેરેના ઉપયોગ અને ઉત્પાદનની કિંમતમાં વધારો લાવતી મૂલ્યવર્ધન પદ્ધતિઓ વિશે ચર્ચા કરી.

વિશેષરૂપે, “ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર, જુનાગઢ”ના ડાયરેક્ટર ડો. બેરા તથા શ્રી ઝાલાએ મગફળીની નવી જાતો ગિરનાર-4 અને ગિરનાર-5 વિશે માહિતગાર કરતા જણાવ્યું કે આ જાતો ઓલિવ ઓઈલના સમકક્ષ તેલ આપે છે, જે હાર્ટ માટે લાભદાયી છે અને તેની માર્કેટ ડિમાન્ડ પણ ઉચ્ચ સ્તરે છે.

કાર્યશાળામાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી વર્ષે ગિરનાર 4 અને 5ના તેલને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધક બનાવવામાં આવશે. તે માટે સ્વાવલંબી ભારત અભિયાન દ્વારા ઉત્પાદન ડિઝાઇન, લીગલ કંપ્લાયન્સ અને માર્કેટિંગ જેવી પ્રક્રિયામાં ખેડૂતોને સહયોગ અપાશે.

આ કાર્યશાળાનું આયોજન ગૌસેવા અને ગ્રામ વિકાસ ગતિવિધિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગે સ્વદેશી જાગરણ મંચના પ્રાંત સહસંયોજક અમિતભાઈ હિરપરા, ગૌસેવા સંયોજક નિશિતભાઈ આસરા, ગ્રામ વિકાસ પ્રતિનિધિ વિઠ્ઠલભાઈ દુધાત્રા અને કૃષિ પ્રકોસ્ટ પ્રમુખ જગુભાઈ મકવાણાની વિશેષ હાજરી રહી.

સંદેશ:
ગાય આધારિત ખેતી એ માત્ર પરંપરા નહીં પણ ભારતના ભવિષ્યનો આધાર છે – એ વાતનું જીવોંત ઉદાહરણ બની રહેલી છે સ્વાવલંબી ભારત અભિયાનની આ પહેલ.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ