ગિરનારના ધોધો અને ઝરણા પ્રવાસ માટે ખુલ્યા, પ્રવાસીઓએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં સહભાગી થવાની અપિલ

જુનાગઢ:
ગિરનારના ધોધપ્રેમી અને સ્નાનપ્રેમી પ્રવાસીઓ માટે ખુશીની માહિતી છે. ગિરનાર પર્વત પર ધોધો અને ઝરણાઓ ફરી શરૂ થયા છે અને કુદરત પ્રેમીઓ માટે ભવ્ય દ્રશ્યો સર્જાયા છે. હાલાકી , ગિરનારની પવિત્રતાને જાળવવી અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ દરેક પ્રવાસીની ફરજ છે.

ગિરનાર પર્વત પર જુનાગઢ તંત્ર અને કલેક્ટરશ્રીની માર્ગદર્શિકાઓ અનુસાર “પ્લાસ્ટિક મુક્ત ગિરનાર” અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા રોપવે પાસે ચેકપોસ્ટ મૂકી તપાસ ચાલુ કરવામાં આવી છે. પ્રવાસીઓએ ગિરનારના સ્થળ પર પ્લાસ્ટિકના કોઈપણ સમાન સાથે ન આવવાનું ખાસ ધ્યાન રાખવું રહેશે. જો કોઈ પ્લાસ્ટિક લાવતા જોવા મળશે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે.

જૂનાગઢ કલેક્ટરશ્રી દ્વારા પહેલેથી જ અનેકવાર લોકોને માધ્યમો દ્વારા આ બાબત માટે જાગૃત કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત ગિરનારની પવિત્રતા જાળવવી એ હવે જનજાગૃતિનું મોટું ઉદ્દેશ્ય બની ગયું છે.

પ્રવાસીઓ માટે અગત્યની સૂચનાઓ:

  1. ગિરનારની પવિત્રતા જાળવો.

  2. પ્લાસ્ટિક મુક્ત ગિરનારના અભિયાનમાં સહભાગી બનો.

  3. કચરો ન ફેંકો અને કુદરતની સુંદરતાને ન બગાડો.

  4. ચેકપોસ્ટ પર યોગ્ય સહકાર આપો.

ગિરનારની યાત્રા પર આવનાર દરેકને વિનંતી છે કે કુદરતના ખોળે મોજ માણો, પણ સાથે સાથે પ્રકૃતિને સાચવો.

અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ.