ગિરનારી ગ્રુપ જૂનાગઢ દ્વારા સેવા કાર્ય.

જૂનાગઢ

જુનાગઢ શહેરની જુદી જુદી ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને તા.૧૨/૦૯/૨૪ને ગુરૂવારના રોજ ગિરનારી ગ્રુપ દ્વારા ભોજન પ્રસાદ કરાવીને તેમની જઠરાગ્નિને ઠારવા માટેનો નાનકડો પ્રયાસ કરવામાં આવેલ હતો. ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓશ્રી સમીરભાઈ દતાણી, સંજયભાઈ બુહેચા, અક્ષિતભાઈ કુબાવત, જેકીભાઈ વાઘેલા, પરેશભાઈ સાવલિયા, પરેશભાઈ પંડ્યા, ભરતભાઈ ભાટીયા, બલભદ્રસિંહ રાણા, નિખિલભાઇ ભટ્ટ સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)