ગીર ની પવિત્ર ભૂમિ પર તુલસી વિવાહ નું આયોજન

સોમનાથ

ગીરની પરમ પાવની ભૂમી શ્રી ભુલેશ્વર મહાદેવ શ્રી વિશ્વામીત્ર ઋષિની તપોભૂમી શ્રી ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી વિષ્ણુ અને માં ભગવતી શ્રી તુલસીજીના વિવાહનો મંગલ પ્રસંગ ખુબજ ધુમ-ધામથી ઉજવવાનું આયોજન કરેલ છે. આ પ્રસંગને ભકિત ભાવપૂર્વક દિપાવવા અને દર્શનનો લાભ લેવા આપ સર્વેને.મહંતશ્રી કમલાશરણ બાપુ ફલહારી ભાવભર્યું નિમંત્રણ છે. દરેક યાત્રિકોને વધારવા માટે ભાવભર્ય નિમંત્રણ છે.

અહેવાલ :- દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી