ગીર સોમનાથના ઊના શહેરમાં પડેલા વરસાદના કારણે પાણી ભરાતા તે અંગેની સ્થળ પર પહોંચી ઉનાના ધારાસભ્યશ્રીએ જાણ લીધી.

ઊના

ઉના શહેરમાં પડેલા વરસાદના કારણે કોર્ટ વિસ્તાર અને હાસ્મી ચોક વિસ્તારમાં પાણી ભરાતા તે અંગેની જાણ ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ પાણીના નિકાલ માટે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બોલાવી અને પાણીનો નિકાલ કરાવ્યો હતો. આ તકે તેઓની સાથે મુસ્લિમ સમાજ ના અગ્રણીશ્રી દાદા બાપુ શેખ હાજર રહ્યા હતા.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)