📍 ગીર સોમનાથ, તા. 17 એપ્રિલ 2025
✍🏻 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં દેશ-વિદેશના અસામાજિક તત્વોની પ્રવૃત્તિ રોકવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
🏠 કઈ જગ્યાઓ આવરી લેવાઈ?
મકાન,
ઔદ્યોગિક એકમ,
ઓફિસ,
દુકાન,
ગોડાઉન,
કોલ્ડ સ્ટોરેજ વગેરે ભાડે આપતાં તમામ મિલકતધારકો માટે નિયમ ફરજિયાત રહેશે.
🔐 જાહેરનામાનો મુખ્ય હેતુ:
જિલ્લાના તુલસીશ્યામ, દેહોત્સર્ગ અને ખાસ કરીને સોમનાથ મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળોની નજીક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ રોકવી.
📋 શું કરવું ફરજિયાત છે?
ભાડે આપતા પહેલા માલિકે નીચે મુજબ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફોર્મ દ્વારા લખિતમાં આપવી ફરજિયાત છે:
- માલિક અને ભાડુઆતનું પૂરું નામ, સરનામું, ફોન નંબર
- ભાડે આપેલી મિલકતનું સ્થાન, માપ, પ્રકાર
- ભાડુઆતના આધાર પુરાવા, ફોટોગ્રાફ
- વતનનું સરનામું અને ઓળખાણ માટેના ત્રણ સગા સંબંધી
- ભાડુઆત સાથે સંપર્ક કરાવનાર વ્યક્તિની વિગતો
🕒 જાહેરનામું અમલમાં રહેશે:
તા. 16 એપ્રિલ 2025 થી આગામી 60 દિવસ સુધી
⚖️ હુકમનું ઉલ્લંઘન?
જાહેરનામાની અવગણના કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને શિક્ષા લાગુ પાડી શકાશે.
📌 નાગરિકોને અપીલ:
ભાડા સંબંધિત વ્યવહાર પહેલા ફરજિયાત રીતે પોલીસ સ્ટેશનમાં જાણ કરો, નહિ તો કાનૂની અડચણો ઊભી થઈ શકે છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ