ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી માટે નિશાંતભાઈ એમ. મહેતાને એવોર્ડ

ગીર સોમનાથ :
તા. 25/5/2025, રવિવારના દિવસે ગુજરાત સહિત દેશના 14 રાજ્યમાંથી કુલ 120 જેટલા શિક્ષક અને પર્યાવરણપ્રેમીઓને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ મહત્ત્વપૂર્ણ અવસર પર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક નિશાંતભાઈ એમ. મહેતાને પણ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોષી તથા નિવૃત્ત IFS અધિકારી બી.જે. પાઠક અને જ્ઞાનલાઈવના ચેતન પટેલ જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

ગીર સોમનાથ જિલ્લા સંયોજક તરીકે નિશાંતભાઈએ જિલ્લાના પર્યાવરણ સંરક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરતા આ આદરસન્માન પ્રાપ્ત કર્યું છે.

નિશાંતભાઈએ આ એવોર્ડથી ન માત્ર આંકોલવાડી કન્યા પ્રાથમિક શાળાનું, પરંતુ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ