રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. આ તૈયારીઓને ધ્યાનમાં રાખીને આજેથી જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે ચૂંટણી પંચના નોડલ અધિકારી તથા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે આજે પ્રાંત કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી સંબંધિત તમામ તૈયારી અને માર્ગદર્શિકા અંગે વિગતવાર માહિતી આપી હતી.
શ્રી આલેના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર સભા, લાઉડ સ્પીકર, પોસ્ટર અને અન્ય સામાજિક માધ્યમોના ઉપયોગ પર નિયંત્રણ રાખવામાં આવશે અને નિર્ધારિત કાર્યપદ્ધતિને અનુસરવામાં આવશે. તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરી કરવામાં આવી છે, જે શાંતિપૂર્ણ અને સમર્પિત ચૂંટણી પ્રક્રિયા માટે જવાબદાર રહેશે.
તે ઉપરાંત, લોકોએ નમ્ર અને જવાબદારીભર્યું વર્તન કરવું જરૂરી છે જેથી ચૂંટણીઓ સ્વચ્છ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે.
ઘોષિત તારીખ મુજબ, મતદાન ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ થશે, જ્યારે મતગણતરી ૨૫ જૂન અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થવાની તારીખ ૨૭ જૂન નિર્ધારિત કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે જેથી ચૂંટણી સરળ અને શાંતિપૂર્વક પૂર્ણ થાય.
આ ચૂંટણી દ્વારા ગ્રામજનોને પોતાની પ્રતિનિધિઓ પસંદ કરવાની તક મળશે અને ગ્રામસ્થર પર વિકાસ અને પ્રગતિ માટે મજબૂત પાયાનું નિર્માણ થશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ