ગીર સોમનાથ: જીલ્લામાં યોજાનારી ૧૫૩ ગ્રામપંચાયત ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી. ઉપાધ્યાય દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
આ જાહેરનામાં દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ અને ભયમુક્ત રીતે યોજાવા માટે જરૂરી નિયમો તેમજ નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દા:
- પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના નિયમો
- લાઉડસ્પીકર અને સભા-સર્ગસ પર નિયંત્રણ
- ખાનગી મિલકત અને જાહેર સ્થળે ચૂંટણી પ્રચાર માટે બોર્ડ, બેનર્સ, કમાન, તોરણ, પોસ્ટર્સ ઉપર નિયંત્રણ
- ચૂંટણી વિસ્તારોમાં પરવાનાવાળા હથિયારો સાથે ફરવાનું પ્રતિબંધ
- ચૂંટણીલક્ષી જાહેરાતો અને કટઆઉટ અંગે કડક નિયંત્રણ
- મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ
- મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રમાં મોબાઇલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત
- મતગણતરી અને મતદાન મથકોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના ભીડ પર પ્રતિબંધ
આ તમામ નિયમો ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરી બહાર પાડવામાં આવ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આનું સખત પાલન કરાવાશે.
આ જનજાગૃતિ અને નિયમોનુ પાલન ભવિષ્યમાં નિર્મળ અને ન્યાયપૂર્ણ ગ્રામપંચાયત ચૂંટણી યોજવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ