ગુજકોસ્ટ ગાંધીનગર બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

જૂનાગઢ, તા. ૫ જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગુજરાત સરકાર અને સંસ્થાઓ દ્વારા ખાસ મહેમાનીઓ સાથે મનાવવામાં આવી રહી છે. આવા જ એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગુજકોસ્ટ ગાંધીનગર ખાતે સ્થિત બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર – જૂનાગઢ દ્વારા માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યામંદિરમાં કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પૂજ્ય મુક્તાનંદજી અને ચેરમેન ગિજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ભલે આજકાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું હોય, પરંતુ વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો.

કાર્યક્રમ દરમિયાન ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, વિવિધ પ્રશ્નોતરી, જ્ઞાનસભા અને સવાંદ દ્વારા પ્રાણી-પક્ષી, વનસ્પતિ, કુદરતી સંપદા, વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે બાળકોને સમજ આપવામાં આવી. ઉપરાંત, ‘BEAT PLASTIC POLLUTION’ થીમ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, જે આ વર્ષે સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ માટે પસંદ કરાયેલી છે.

આ પ્રસંગે પર્યાવરણ જાળવણી માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમો વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં હાજર રહ્યા:

  • બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર – જૂનાગઢના કો-ઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરા,
  • સંસ્થાના શિક્ષણ નિયામક બાઘુભાઈ ડોબરિયા,
  • શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા,
  • શિક્ષકો અલ્પાબેન ડાંગર, અશ્વિનભાઈ સાયેરિયા, ઇલાબેન બાલસ, ઉષાબેન મકવાણા, રોમિલભાઈ પાનસુરિયા, ભાવેશભાઈ ગોંડલિયા, મનસુખભાઈ સંઘાણી સહિત અનેક અગ્રણીઓ.

વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, લેખન સામગ્રી અને પ્રમાણપત્રો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન શાળાની શિક્ષિકા સુશ્રી હેતલબેન લશ્કરીએ કર્યું.

આ રીતે પર્યાવરણ સંરક્ષણ અંગે નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો સફળ રીતે આગળ વધ્યા છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ