જૂનાગઢ, તા. ૨૮ મે:
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચનાના અનુસંધાને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં આગામી તા. ૨૯ મે, ગુરુવાર સાંજે ૫.૦૦ કલાકે રાજ્યના તમામ જિલ્લામાં નાગરિક સુરક્ષા કવાયત “ઓપરેશન શિલ્ડ”નો મોકડ્રીલ યોજાશે.
આ એક આગોતરી તૈયારીના ભાગરૂપે કરવામાં આવતો સુરક્ષા અભ્યાસ છે, જે દુશ્મન દેશના સંભવિત હુમલાઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. તે પહેલાં ૭ મે, ૨૦૨૫ના રોજ આયોજિત “ઓપરેશન સિંદૂર”ને મોટી સફળતા મળી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો સાથે યોજેલી સમીક્ષામાં મોકડ્રીલની તૈયારી અને અમલ અંગે જરૂરી માર્ગદર્શનો આપ્યા.
તેમણે જણાવ્યું કે, આ કામગીરીમાં સ્થાનિક પ્રશાસન, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ્સ જેવા યુવા વોલન્ટીયરોની સહાય લેશે.
એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવામાં આવશે અને એર રેપિડ સાયરન કાર્યરત રહેશે.
અંધારપટ, તાત્કાલિક ઇજાગ્રસ્તોની સારવાર માટે મેડિકલ ટીમો, અને રકતદાનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
સાથે જ, સંભવિત યુદ્ધ પરિસ્થિતિમાં હોમ ગાર્ડ્સ અને આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ માટે પણ તૈયારી રહેશે.
અમે જિલ્લા કલેક્ટરો અને અન્ય સ્ટેકહોલ્ડરોને સમયસર સંપૂર્ણ સંકલન રાખવા અને પ્રતિસાદ આપવા સૂચનાઓ આપવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ