ગુજરાતમાં 4,00,000 જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે ABVP, આવનારા 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજો માં ચાલશે સદસ્યતા અભિયાન.

ગુજરાત

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થીઓના હિત અને ન્યાય માટે ના આદોલનો ની સાથે સાથે, વિધાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે. જેના થી વિધાર્થીઓ વચ્ચે જ્ઞાન , ચારિત્ર્ય અને એકતા જેવા ગુણો થકી સર્વાંગી વિકાસ થઈ શકે. આગામી શૈક્ષણિક વર્ષ દરમ્યાન વિધાર્થી પરિષદ ગુજરાત ના તમામ વિધાર્થીઓ સુધી પહોચવા માટે નગર કારોબારી, કેમ્પસ કારોબારી અને સદસ્યતા ના માધ્યમથી વિધાર્થીઓ સુધી રાષ્ટ્રીયતા ના‌ ભાવ ને ઉજાગર કરવા માટે હંમેશા ની જેમ તત્પર અને યોજનાબદ્ધ છે.

આવનાર સમય મા સમગ્ર ગુજરાતમા અ.ભા.વિ.પ સદસ્યતા અભિયાન લઈ ને વિધાર્થીઓની વચ્ચે જશે. અ.ભા.વિ.પ ગુજરાત ૪ લાખ સદસ્યતા નો લક્ષ્યાંક લઈ ને વિધાર્થીઓની સદસ્યતા કરશે. આ સદસ્યતા અભિયાન ના પ્રથમ ફેઝ મા તારીખ 19 થી 29 જુલાઈ સુધી સ્કૂલના ૧૧ અને ૧૨મા ધોરણનાં વિધાર્થીઓની વચ્ચે જઈને સદસ્યતા અભિયાન ચલાવશે. ત્યાર બાદ બીજા ફેઝ એટલે કે તારીખ 1 થી 12 ઓગસ્ટ વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમા જઈ ને સદસ્યતા કરશે. આ સદસ્યતા અભિયાન હેઠળ વિધાર્થીઓ વચ્ચે છાત્ર શક્તિ એ રાષ્ટ્ર શક્તિ ના વિચાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અને ગતિવિધિઓની માહિતી આપવામાં આવશે. સાથે જ આગામી સમય મા વિધાર્થી પરિષદ ગુજરાત ના ૭૦૦ થી વધુ કોલેજ કેમ્પસો મા કારોબારીઓની ઘોષણા કરશે. અને પુરા ગુજરાતમાં ૨૦૦ જેટલી નગર કારોબારી ની ધોષણા અ.ભા.વિ.પ પ્રદેશ ભર‌મા કરવા જઈ રહી છે.

આ‌ સાથે અ.ભા.વિ.પ વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે આપણા હુતાત્માઓ અને જેમના થકી ભારતનો ભવ્ય ઇતિહાસ છે તેવા ઇતિહાસના મહાનવ્યક્તિત્વો ને પણ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસ્તુત રાખવાનો પ્રયાસ કરતુ આવ્યું છે. તે ઉદેશની સાથે પુરા ભારતમાં પુણ્યશ્લોકા અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦માં જયંતિ વર્ષ નિમિતે કેમ્પસ સુધી વિશેષ કાર્યક્રમો નું આયોજન થનાર છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સુધી અહિલ્યાબાઇ ના વિચારો લઇ જવાનો પ્રયાસ કરશે. આજના સમયમાં રમત-ગમત નું ખુબ મહત્વ છે, ભારત પાસે રહેલ યુવાધન સક્રિય રહે તે પણ ખુબ આવશ્યક છે ત્યારે અભાવિપ ના આયામ ‘ખેલો ભારત’ અંતર્ગત સમગ્ર દેશ માં ‘સીટી ઓલમ્પિક્સ’ નું પણ આયોજન આવનારા વર્ષ દરમિયાન થનાર છે.

અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતના શૈક્ષણિક જગતમાં અને વિશેષકરી વિદ્યાર્થીઓમાં અભાવિપ માટે એક અનખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્ર પુનઃનિર્માણ ના વિચાર સાથે જોડાવા વિદ્યાર્થીઓ આતુર છે. વિદ્યાર્થી પરિષદ ગુજરાતના દરેક કેમ્પસ સુધી, દરેક તાલુકા સુધી ભારત માતા ની જયકાર સદસ્યતા અને વિવિધ સંગઠનાત્મક કર્યો દ્વારા પહોંચાડવા કટિબદ્ધ છે. વિદ્યાર્થી વચ્ચે રહી વર્ષ દરમિયાન તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ વિદ્યાર્થી પરિષદ નો કાર્યકર્તા કરતો આવ્યો છે જે પરિશ્રમના ફળ સ્વરૂપે ગુજરાતમાં અભાવિપ ખુબ જ સહેલાઇ થી 4,00,000 સદસ્યતાનો લક્ષ્યાંક સર ક
રશે તેવો સૌ કાર્યકર્તાઓને વિશ્વાશ છે”

એહવાલ:- ગુજરાત બ્યુરો