ગુજરાત એસ. ટી. નિગમની 1200 જેટલી બસો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના યાત્રાળુઓની સેવામાં કાર્યરત.

અંબાજી

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. માઈભક્તો પગપાળા માં અંબા ના દર્શન માટે આવી રહ્યા છે તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસ. ટી. નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસ. ટી. નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સુદૂર થી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે.

વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામકશ્રી કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે તા.૧૨ સપ્ટેમ્બર થી ૧૮ મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમંતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૧૨૫૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ..ટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ ૧૨ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ પણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ શ્રી રક્ષાબેને જણાવ્યું હતું કે હું માં અબેના દર્શન કરવા અને ગબ્બરના દર્શન માટે આવી છું. અહી આવતા યાત્રાળુઓ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધાઓ કરવામાં આવી છે એ બદલ હું સરકારનો આભાર માનું છું.

માં અંબેના દર્શનાર્થીશ્રી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મંદિર માં ના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુઓ માટે મૂકી છે એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ શ્રી પઢિયારે જણાવ્યું કે, અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)