ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામધામ મધુરમ જૂનાગઢ દ્વારા આયોજિત એકદિવસિય બાળવ્યક્તિત્વ વિકાસ શિબિર

જુનાગઢ:

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામધામ મધુરમ જૂનાગઢ દ્વારા 8 જૂન 2025 રવિવારના રોજ એકદિવસિય બાળવ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 8 વર્ષથી 15 વર્ષ સુધીના દીકરા-દીકરીઓ માટે ખૂલ્લું રહેશે જેમાં ખાસ કરીને જૂનાગઢ બહારના બાળકો પણ ભાગ લઈ શકશે.

શિબિરનું સમયસૂચિ: સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી.

કાર્યક્રમમાં આ વિષયવસ્તુઓ સમાવિષ્ટ રહેશે:

  • વિસરાતી મનોરંજન કલા: કઠપૂતળીનો ખેલ
  • સંગીતમય યોગ
  • વાંચન વલોણું સંસ્થા દ્વારા જ્ઞાન ગોષ્ઠિ
  • જિલ્લા લોક વિજ્ઞાન સંસ્થા દ્વારા વિજ્ઞાનના પ્રયોગો
  • જુનાગઢ ડિજાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા આગ અને પૂર જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવની લાઈવ માર્ગદર્શન
  • લાઠી દાવ, તલવારબાજી
  • ધાર્મિક પ્રશ્નોત્તરી
  • રમતો અને મોજમસ્તી

આ શિબિર દરમિયાન બાળકો માટે સવારે નાસ્તો, બપોરે ભોજન અને બપોર પછી આઈસ્ક્રીમ તેમજ સાંજે નાસ્તા વ્યવસ્થા કરવામાં આવશે.

જેઓએ હજુ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ તાત્કાલિક રજીસ્ટ્રેશન માટે પ્રવિણાબેન વાઘેલા (મોબાઈલ: 9426168272) સાથે સંપર્ક કરી શકે છે.

માત્ર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના 8 થી 15 વર્ષના બાળકો માટે આ શિબિર રાખવામાં આવી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ