જુનાગઢ:
ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામધામ મધુરમ જૂનાગઢ દ્વારા 8 જૂન 2025 રવિવારના રોજ એકદિવસિય બાળવ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 8 વર્ષથી 15 વર્ષ સુધીના દીકરા-દીકરીઓ માટે ખૂલ્લું રહેશે જેમાં ખાસ કરીને જૂનાગઢ બહારના બાળકો પણ ભાગ લઈ શકશે.
શિબિરનું સમયસૂચિ: સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી.
કાર્યક્રમમાં આ વિષયવસ્તુઓ સમાવિષ્ટ રહેશે:
- વિસરાતી મનોરંજન કલા: કઠપૂતળીનો ખેલ
- સંગીતમય યોગ
- વાંચન વલોણું સંસ્થા દ્વારા જ્ઞાન ગોષ્ઠિ
- જિલ્લા લોક વિજ્ઞાન સંસ્થા દ્વારા વિજ્ઞાનના પ્રયોગો
- જુનાગઢ ડિજાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા આગ અને પૂર જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવની લાઈવ માર્ગદર્શન
- લાઠી દાવ, તલવારબાજી
- ધાર્મિક પ્રશ્નોત્તરી
- રમતો અને મોજમસ્તી
આ શિબિર દરમિયાન બાળકો માટે સવારે નાસ્તો, બપોરે ભોજન અને બપોર પછી આઈસ્ક્રીમ તેમજ સાંજે નાસ્તા વ્યવસ્થા કરવામાં આવશે.
જેઓએ હજુ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ તાત્કાલિક રજીસ્ટ્રેશન માટે પ્રવિણાબેન વાઘેલા (મોબાઈલ: 9426168272) સાથે સંપર્ક કરી શકે છે.
માત્ર ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના 8 થી 15 વર્ષના બાળકો માટે આ શિબિર રાખવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ