આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકમાં ચૂંટણી જાહેર થયા બાદ વધુ એક વિવાદમાં પ્રવેશ્યા છે. આજે તેઓ રૂ. 2 લાખ રોકડ રકમ લઈને પ્રાંત કચેરીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમના સાથે આપના નેતાઓ મનોજ સોરઠીયા અને પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ તેમના કાર્યકરોને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના મહામંત્રીને સાયોના હોટલમાં બોલાવીને રૂ. 2 લાખ રોકડા આપવા પ્રયત્ન કર્યો હતો.
આ મુદ્દે ચૂંટણી અધિકારી સમક્ષ અધિકૃત ફરિયાદ નોંધાવાઈ છે.
આ ઘટનાની સામે પ્રવીણ રામે પણ નિવેદન આપતાં જણાવ્યું કે, “વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને હરાવા માટે કોંગ્રેસ, ભાજપના ઇશારે કાર્ય કરી રહી છે. કોંગ્રેસ ભાજપને જીતાડવા માંગે છે, એથી તેમના મતદાતાઓએ પોતાનો મત વેડફવાને બદલે ગોપાલભાઈને મત આપવા જોઈએ.”
આ સમગ્ર મુદ્દે હવે ચૂંટણી પંચ દ્વારા શું પગલાં લેવામાં આવે છે
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)