જૂનાગઢ, તા. ૨૭ મે:
રાજ્યના ખેડુતો માટે સારા સમાચાર છે. રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ભારત સરકારે ઘઉંનો ટેકાનો ભાવ રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. આ સાથે રાજ્ય સરકાર પણ રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે, જેના કારણે ખેડૂતોને હવે ઘઉંના વેચાણ માટે કુલ રૂ. ૨,૫૭૫/- પ્રતિ ક્વિન્ટલ મળી રહેશે.
રાજ્યના ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળે અને તેઓને ખેતીમાંથી યોગ્ય આવક મળે તે હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ચાલુ છે.
ખરીદીની છેલ્લી તારીખ ૩૧ મે ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. તેથી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ સબસિડીનો લાભ લઇ લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ