જલારામ મંદિર કેશોદ ખાતે નિશૂંલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ (કેશોદ)

સ્વ.ભગવાનજીભાઈ ગીરધરલાલ દેવાણી હ.રાજુભાઈ દેવાણી (ડેલ્ટા cctv મનીષભાઈ દેવાણી (મંથન એન્ટર પ્રાઈઝ)ના સહયોગથી તા.16/06/24ને રવિવાર ના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ જલારામ મંદિર, કેશોદ ખાતે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટના સહકારથી
આયોજન કરવામાં આવેલ છે જેમાં દિપ પ્રાગટય સવારે ૯:૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે .

આ તકે એક્યુપ્રેસર – કપિંગ, એક્યુપંકચર કમરનો દુઃખાવો, નસ નો દુઃખાવો, ઢીંચણ નો દુઃખાવો વગેરે ની સારવાર સેવા કલ્યાણ નેચર કેર ના ડો.ભૂમિ વણપરીયા આપશે.તેમજ શ્રી દિપેનભાઈ અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ, કેશોદ તથા એન.સી.ડી. વિભાગના સૌજન્યથી નિ:શુલ્ક ડાયાબિટીસ ચેક અપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત ડિજિટલ હેલ્થ આઈડી વિતરણ કરવામાં આવશે. તથા પટેલ પરિતોષ, ડો શ્વેતા પટેલ નેત્ર ચેક અપ ની સેવા આપશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)