જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી ખાતે વિશ્વ પર્યાવરણ દિનનો ભવ્ય કાર્યક્રમ

નવસારી: નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા ૦૫ જૂન ૨૦૨૫ના રોજ એસ.એસ. અગ્રવાલ કોલેજ, નવસારીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી કે.ડી. દ્વિવેદી સાહેબે સંભાળી હતી. કાર્યક્રમમાં એડવોકેટ શ્રી પી.એમ. વાટવેચાએ “સેવ ટ્રી-સેવ અર્થ” વિષય પર વાત કરી, જ્યારે સેવ હરીયાલી ગ્રુપના ડો. નીલ દેસાઈએ પર્યાવરણની સુરક્ષા અને જૈવિક વિવિધતાનું મહત્વ સમજાવ્યું. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીના સચિવ શ્રી બી.ડી. પરમારે વાઈલ્ડલાઈફ અને જીવનમાં પાણીના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડ્યો.

શ્રી કે.ડી. દ્વિવેદી સાહેબે પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષારોપણનું જતન કરવાના મહત્વને ઉગ્ર ભાર આપ્યો. ત્યારબાદ કોલેજના રમતના મેદાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં એડવોકેટ સીમા મિત્તલ, ફોરેસ્ટર મોનાલીબેન પટેલ અને કોલેજના આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રીના સહયોગ સાથે સજ્જડ પ્રયાસો થયા.

આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિમાં એક મજબૂત સંદેશ આપ્યો ગયો છે અને આજના યુગમાં વૃક્ષારોપણ અને જતન કરવાનું મહત્વ દરેકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અહેવાલ:આરીફ શેખ
સ્થાન: નવસારી