જીલ્લા માર્ગ સલામતી બેઠકમાં 794 વાહનચાલકો વિરુદ્ધ કેસ, ₹25.41 લાખ દંડ વસૂલાયો!

ગીર સોમનાથ, તા.૪ જૂન:
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઇણાજ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાહનચાલકોની સુરક્ષા અને માર્ગ સલામતી માટે વિવિધ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

બેઠક દરમિયાન કલેક્ટરે ઝિબ્રા ક્રોસિંગ, સ્પીડ લિમિટ બોર્ડ, રેડિયમ માર્કિંગ, સાઇનબોર્ડ તથા સ્પીડ બ્રેકર જેવી સુવિધાઓ સ્થાનિક માર્ગો પર સ્થાપિત કરવા માટે સૂચના આપી. લોકોને માર્ગ સુરક્ષાની જાગૃતિ આપવા વિશેષ અભિયાન યોજવા પણ નિર્દેશ આપવામાં આવ્યો.

આર.ટી.ઓના ઈન્સ્પેક્ટર વાઘેલાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગ અકસ્માતોની વિગત આપી અને માહિતી આપી કે આર.ટી.ઓ દ્વારા ગયા મહિનાઓમાં કુલ 794 કેસ નોંધાયા છે અને ₹25,41,000 નો દંડ વસૂલાયો છે.

✔️ નોંધાયેલા મુખ્ય કેસોની વિગત:

  • PUC વગર વાહન ચલાવવાના: 130
  • લાઇસન્સ વગર વાહન ચલાવવાના: 145
  • હેલ્મેટ વગરના કેસ: 68
  • વીમા વગરના વાહન કેસ: 87
  • સીટ બેલ્ટ વગરના કેસ: 3
  • ભયજનક ડ્રાઇવિંગના કેસ: 3
  • અન્ય ઓવરલોડ કે નિયમભંગના કેસો પણ સામેલ

આ બેઠકમાં નિવાસી કલેક્ટર રાજેશ આલ, ડી.વાય.એસ.પી ભાસ્કર વ્યાસ, પ્રાંત અધિકારી કે.આર. પરમાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સંસ્થાઓ અને તંત્ર વચ્ચેko better co-ordination માટે પણ સૂચનો આપવામાં આવ્યા અને માર્ગ અકસ્માતોના સચોટ ડેટા દસ્તાવેજીકરણની જરૂરિયાત પર ભાર મુકાયો.

🔹 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ