જુનાગઢના માંગરોળ માળીયાને જોડતો કામનાથ પુલના રીપેરીંગ કામની મુલાકાત ધારાસભ્યએ લીધી. જુનાગઢ

જુનાગઢ જીલ્લાના માંગરોળથી સાત કિલોમીટર દુર કામનાથ મહાદેવ મંદિરની નોળી નદી પર આવેલ માંગરોળ અને માળીયા બન્ને તાલુકાને જોડતા પુલ નુ ગયા વર્ષે ભારે વરસાદના લીધે ધોવાણ થયુ હતુ ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાનાં અથાગ પ્રયત્નો થી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલનુ રીપેરીંગ કામની મજૂરી આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવેલ હતુ જે સમારકામ ની મુલાકાત લેતા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ જણાવ્યું હતું કે આ રસ્તા પર સાડા ચાર કરોડના ખર્ચે નવુ ઓવરબ્રિજ બનાવવા મજૂર થયેલ છે જેનું કામ એકાદ વર્ષ ની અંદર શરુ થવાનુ હોય ત્યારે ચોમાંસા દરમ્યાન આ પુલ ડેમેજ ન થાય અને આસપાસ ગ્રામજનો રાહદારીઓ ને અવરજવર માટે તકલીફ ન પડે તેમાટે તાત્કાલિક ધોરણે આ પુલનુ રિપેરિંગ કામ શરૂ કરી ચોમાસા પહેલા પુર્ણ કરવામાં આવશે

Advertisement

રીપોર્ટર:- પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)

Advertisement