જુનાગઢમાં દેશ માટે શહિદ થનાર બે મહાન સપૂત ચંદ્રશેખર આઝાદ અને બાલ ગંગાધર તિલકના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ

જુનાગઢ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કૃષિ કેમ્પસ, જૂનાગઢ ખાતે તારીખ 22 જુલાઈ ના રોજ દેશ માટે શહિદ થયેલા બે મહાન સપૂતશ્રી ચંદ્રશેખર આઝાદ અને બાલ ગંગાધર તિલકના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીના ભાગરૂપે કોલેજના પરિસરમાં આવેલ તેમની મૂર્તિને હાર માળા પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ એનએસએસ, એનાટોમી વિભાગ અને પશુ પોષણ વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ મહાવિદ્યાલય ના ડો ગર્ગ, ડો ઓડેદરા, ડો પાડોદરા, ડો વિષ્ણુકુમાર વગેરેએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)