જુનાગઢ ખાતે શહેર ના આગેવાનો ના હાજરીમાં સ્વાસ્થ્ય નુ સ્નેહ મિલન સમારોહ યોજાયો.

જૂનાગઢ તા.૧૫/૭. જુનાગઢમા જોષીપુરા ના નારાયણ આશ્રમ ખાતે મ તા-૧૪-૦૭-૨૦૨૪ ને રવિવારે સ્વાસ્થ્ય નું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.આ સમારોહ માં શહેર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં લોકોને કેવી રીતે દવાઓ વગરનું જીવન જીવવું એ સમજ આપવામાં આવી હતી, આ સ્વાસ્થ્ય નાં સ્નેહમિલન મા ૧૫૦- કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો, જેમાં આહાર ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ આયોજન માટે વેલનેસ કોચ- સંગીતા મયુર વિરડીયા ડો. પ્રતિક્ષા, વેલનેસ કોચ- પુષ્પાબેન મનીષભાઈ કાવઠીયા એ જહેમત ઉઠાવી હતી

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હરસુખભાઈ વઘાસિયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)