જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેર અને તાલુકા ભાજપ દ્વારા બેઠક યોજાઈ.

જુનાગઢ

માંગરોળ શહેર અને તાલુકા ભાજપ દ્વારા રાષ્ટ્રભક્તિ દેશ ભક્તિ તૃપ્ત માટે હર ઘર ત્રીરંગા કાર્યક્રમ ને જોર શોર થી વેગ આપવા માંગરોળ શહેર તાલુકા મંડલના હોદેદારો અને કાર્યકરોની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ આગેવાન શ્રીમતિ વંદનાબેન મકવાણા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કાર્યકર્તાઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા.બેઠકના અંતે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પાણીથી નવડાવી સાફ સફાઇ કરી પુષ્પહાર ચડાવી બેઠક પુર્ણ કરાઈ હતી.

આ અવસરે તાલુકા ભાજપ આગેવાનો અને શહેર ભાજપ હોદેદારો પ્રમુખો મહામંત્રીઓ તમામ શ્રેણીના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)