જુનાગઢ જિલ્લાના માંગરોળ માત્રી મંદિર પાસે મહાકાય વૃક્ષ ધરાશય થયું.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં માત્રી મંદિર વિસ્તારમાં ગઇ કાલે બપોરના સમયે વરસાદી માહોલ વચ્ચે અતિ જુનવાણી મહાકાય વૃક્ષ અચાનક ધરાશય થયો હતો.વૃક્ષ ધરાશય થતા તેની નજીક પીજીવીસીએલના વાયરો ખેંચાઇ જતા જેના કારણે એક વીજપોલ તુટી પડ્યો તો બાજુમાં આવેલ એક મકાનમાં સિમેન્ટ ના છપરા પણ ભાંગી પડ્યા હતા.

ખાસતો આ મહાકાય વૃક્ષ ની બાજુમાં બાપા સીતારામ નુ સ્થાનક આવેલ છે અને ત્યાં સાંજના સમયે આસપાસની મહિલાઓ સત્સંગ શ્રીરામ ધુન કરતી હોય છે તેમજ આસપાસના નાના બાળકો પણ ત્યાં રમતા હોય છે પરંતુ સદનસીબે વરસાદ ચાલુ હોવાથી ત્યાં કોઇ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
હાલ રસ્તો બંધ થઈ જવાથી સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને પીજીવીસીએલ ને જાણ કરી વહેલી તકે રસ્તો ખુલ્લો કરવા અને વીજપોલ અને વાયરો રીપેરીંગ કરી લાઇટ ચાલુ કરવા માંગ કરાઈ છે

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)