જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

જૂનાગઢ, તા. ૨૭ મે:
જુનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. આ બેઠકમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચના હિસાબ અને અન્ય સંબંધિત નિયમોની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ભાજપ, કૉંગ્રેસ સહિત તમામ પક્ષોને ભારતીય ચૂંટણી કાયદા મુજબ ખર્ચ અંગેની જોગવાઈઓ, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા, લાયકાતો, જાહેર સભા તથા વાહન મંજૂરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે આદર્શ આચાર સંહિતા અંગે પણ રાજકીય પક્ષોને અવગત કરવામાં આવ્યા.

બેઠકમાં એમસીસી નોડલ કે.વી. બાટી, નિવાસી અધિક કલેકટર પી.એ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા અને અન્ય અધિકારીઓ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ