જુનાગઢ દ્વારા શાળા પ્રવેશોત્સવ તેમજ આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૪ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી.

જૂનાગઢ

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા દર વર્ષે જુન માસમાં આંગણવાડી પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે તે મુજબ ચાલુ વર્ષે તા.૨૬ થી ૨૮ જુન-૨૦૨૪ દરમિયાન “આંગણવાડી પ્રવેશોત્સવ– ૨૦૨૪” ની ઉજ્વણી કરવામાં આવનાર છે જે અંતર્ગત આજ તા.૨૭-૬-૨૦૨૪ ના રોજ આઈસીડીએસ. શાખા, મનપા, જુનાગઢ દ્વારા શાળા પ્રવેશોત્સવ તેમજ આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૪ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવેલ

આ કાર્યક્રમ માં જુનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય પદાધિકારીશ્રીઓ ઉપરાંત આઈસીડીએસ. વિભાગ, ગાંધીનગરના અધિકારીશ્રી મીરાબેન પરમાર તેમજ આઈ.સી.ડી.એસ. શાખા, મનપા, જુનાગઢના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે હાજર રહેલ હતા

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)