જુનાગઢ માંગરોળના રહીજ ગામે તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પયાઁવરણ પ્રદર્શન મેળો યોજાયો.

જુનાગઢ

જી.સી.ઇ.આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ તથા જિલ્લા શિક્ષણ સમિતી આયોજીત બી આર સી ભવન માંગરોળ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી માંગરોળ અને લોએજ પે સેન્ટર શાળા ના ઉપક્રમે તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પયાઁવરણ પ્રદર્શન મેળો 2024 નુ ભવ્ય આયોજન રહીજ ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર સહીત અધિકારી અગ્રણીઓ હસ્તે દિપપ્રાગટ્ય કરી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

વિજ્ઞાન ગણિત પયાઁવરણ પ્રદર્શન મેળા દરમિયાન 70 શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 140 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 5 વિભાગની અંદર અલગ-અલગ 70 જેટલી કૃતિઓ રજુ કરાતા આસપાસના ગામોનો સરપંચો આગેવાનો તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો સાથે 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનીઓ નિહાળી પ્રશંસા કરી હતી

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)