જુનાગઢ માંગરોળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમીતે સેવાકીય કાર્યક્રમ યોજાયા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જિલ્લાના અલગ-અલગ સ્થાનો પર વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા જે અંતર્ગત માંગરોળમાં પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.ગુજરાતના પનોતા પુત્ર એવા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ ના જન્મદિવસ નિમીતે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સાથે ભાજપ કાર્યકરો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ ના ભાગરુપે જિલ્લા ભરના અલગ અલગ સ્થાનો પર વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા જે અંતર્ગત માંગરોળ શહેરની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે ખોડ કપાસ અને ચારા ના વિતરણ સાથે પશુનિદાન કેમ્પ યોજવામાં આવ્યો તેમજ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીની બહેનોને નોટબુક અને પાણી બોટલ વિતરણ કરવામાં આવી હતી

આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ સાથે રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી , શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, દાનાભાઈ ખાંભલા, માલદેભાઈ ભાદરકા, ભગીરથસિંહ ચુડાસમાં, ધનસુખભાઈ હોદાર સહિતના અન્ય હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)