જુનાગઢ: માંગરોળ બંદર પર દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી

માંગરોળ, 9 મે:
માંગરોળ બંદરથી માછીમારી માટે ગઈ એકહજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવી લીધી છે. મરીન કમાન્ડો દ્વારા દરીયાકિનારે બોટોની ચેકીંગ કરવામાં આવી છે, અને સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ કિનારાની દૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

💬 એચ.આર. સર્મા, ડીવાયએસપી મરીન કમાન્ડો:
“આજના અસ્થિર પરિસ્થિતિને કારણે, બોટોને પરત બોલાવી લેવામાં આવી છે અને દરીયામા માછીમારી માટે ટોકનો બંધ કરી દેવાં આવ્યા છે.”

💬 મયુરીબેન ઠાકર, ફીસરીઝ અધિકારી, માંગરોળ:
“હાલમાં, માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસ પેહરો લાગણી સાથે રાખવામાં આવ્યો છે અને બોન્લ્ડ વાહનો ઉપર સતત ચાંપતી નજર રાખી રહી છે.”

તપાસ અને સચેતના:

  • મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાનું મજબૂત ગઠન અને બોટોની ચેકીંગ થકી સુરક્ષિત મહોલ બનાવવામાં આવ્યો છે.
  • ટોકનો બંધ કરીને માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને માંગરોળના દરિયાકિનારા પર બધે જ ચિંતાની અવસ્થા છે.

અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ – જુનાગઢ