માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ – જુનાગઢ દ્વારા આયોજીત બીજી વખત તા.૧૩|૦૪|૨૦૨૫ ને રવિવારનાં રોજ આઝાદ ચોક – જુનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.
આ કુંડા વિતરણમાં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીઘો હતો.
આ સેવાકીય કાર્યમાં મુખ્ય મહેમાન તરીકે જુનાગઢનાં મહિલા પી.એસ.આઈ.શ્રી વરીયા મેડમ, અને સામાજીક આગેવાનોમાં તન્વીબેન વૈષ્નવ, નાથાભાઈ રાડા, અરવિંદભાઈ મારડીયા, હરસુખભાઈ પાલા, રમણીકભાઈ ચલ્લા, જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, તરૂબેન ગઢીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, રેખાબેન સ્વાદીયા, ઈન્દુબેન ખાણદર, હસ્તીબેન ઉનડકટ, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા વગેરે સહભાગી થયાં હતાં.
આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવાં સંસ્થા નાં પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલા એ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ