જુનાગઢ માં શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા દશેરાનાં તહેવાર માં જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ અને મીઠાઈ, ફરસાણ વિતરણ કરાયું.

જૂનાગઢ

શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ, જુનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે અનાજ વિતરણ કરવામાં આવે છે.તે મુજબ આ વખતે ઓકટોબર મહિનામાં તા.૧૩|૧૦|૨૦૨૪ ને રવિવારનાં રોજ આદર્શ પ્રાયમરી સ્કુલ, દુબડી પ્લોટ, ગરબી ચોક, જુનાગઢ ખાતે જરૂરીયાતમંદ ૫૦ (પચાસ) કુટુંબોને વિનામુલ્યે ચોખા, તેલ, ખાંડ, નિમક(મીઠું), ચાની ભુકી, ચટણી, હળદર, ધાણાજીરૂ, ચોખાનાં પૌવા, મગ, ચણા, ચણાની દાળ,સફેદવટાણા કપડાં ધોવાનો પાવડર, કપડાં ધોવાનો સાબુ, ન્હાવાનો સાબુ, મીકસ મીઠાઈ, ચવાણું, ફરાળી ચેવડો, મમરાની થેલી, પારલે બિસ્કીટ, વગેરે મળી કુલ ૨૧ (એકવીસ) આઈટમ આપવામાં આવેલ હતી.

આ વિતરણ પ્રસંગે રાજકોટ થી ખાસ પધારેલ શ્રી મુકેશભાઈ એમ. સાગર, સમર્પણ ગૃપ, જેતપુર નાં પ્રમુખશ્રી હરીશભાઈ મણીયાર, જુનાગઢ દાતાર સેવક શ્રી બટુકબાપુ, આર્ય વીર દળ, જુનાગઢ નાં પ્રમુખશ્રી દિપકભાઈ આર્ય, સોની સમાજ,જુનાગઢનાં અગ્રણીશ્રી વજુભાઈ ઘકાણ, આજકાલ ન્યુઝ પેપર, જુનાગઢ નાં શ્રી શૈલેષભાઈ પારેખ, જેન્તિભાઈ ખાણદર, નાથાભાઈ રાડા, મિલનભાઈ ખાણદર, ભાર્ગવભાઈ માંડલીયા, નિર્મળાબેન ઘકાણ, છાંયાબેન સાગર, પ્રવિણાબેન વાઘેલા, જયશ્રીબેન ગાલોરીયા, તરૂબેન ગઢીયા, રમીલાબેન ઘુચલા, દેવીબેન દવે, ઈન્દુબેન ખાણદર, રોહિણીબેન આચાર્ય, સ્મિતાબેન ગાલોરીયા, જયાબેન પરમાર, નિશાબેન ગોંદીયા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્થાનાં પ્રમુખશ્રી નરેન્દ્ર ઘુચલા એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)