જુનાગઢ માળીયાહાટીનાના નવા વાંદરવડ ગામે વીજળી પડતા ચાર પશુના મૃત્યુ થતાં લાભાર્થીને બીજા જ દિવસે સહાય ચૂકવાઇ..

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના નવા વાંદરવડ ગામે બે દિવસ પહેલા વરસાદ દરમિયાન વીજળી પડતા પશુપાલક મોકાભાઈ પાલાભાઈ કેશોદાના ચાર પશુ જેમા ત્રણ ભેસ અને એક ગાયનું મૃત્યુ થયું હતું.

આ બાબતની સ્થાનિક તંત્રને જાણ થતા પશુપાલકને જરૂરી અરજી કરાવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સરકારના ધારાધોરણ મુજબ રૂ.૧,૧૨,૫૦૦ની સહાયનો ચેક બનાવના બીજા દિવસે પશુપાલકોને આપી સહાય ચૂકવાઈ હતી.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)