જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અંતર્ગત વસ્તીમાં રામ ખીચડી વિતરણ કરવામાં આવી.

જુનાગઢ

વિશ્વ હિન્દુપરિષદ જુનાગઢ મહાનગર સેવા આયામની ટીમ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજરોજ દાતાશ્રીઓના સહયોગથી કાયમી સેવા ના પ્રકલ્પ અંતર્ગત જૂનાગઢ ની વિવિધ સેવા વસ્તી વિસ્તાર માં જરૂરિયાતમંદ લોકોને રામ ખીચડી વિતરણ કરવામાં આવેલ હતી

આ કાર્ય વિહિપ સેવા આયામ દ્વારા સાપ્તાહિક કરવામાં આવે છે આ સેવા કાર્યમાં જૂનાગઢ મહાનગર ના સેવા પ્રમુખ પરાગભાઇ તન્ના, સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, વિવેકગીરી ગૌસ્વામી સહિતના કાર્યકર્તા જોડાયા હતા જે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના મંત્રી જયેશ ખેસવાણી ની યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)