જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અંતર્ગત કેન્સર અને કિડનીના દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ તેમજ રાહતદરે આયુર્વેદિક દવાઓનો કેમ્પ યોજાયો.

જુનાગઢ

વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર સેવા વિભાગ અંતર્ગત સાંઈ કૃપા હોસ્પિટલ અને સંકલ્પ હોસ્પિટલ આણંદના સહયોગથી કાયમી સેવા ના પ્રકલ્પ અંતર્ગત દર પંદર દિવસે કેન્સર અને કિડનીના દર્દીઓને નિઃશુલ્ક તપાસ તેમજ રાહતદરે આયુર્વેદિક દવાઓનું કેમ્પ યોજવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જૂનાગઢમાં સતત છઠ્ઠો કેમ્પ યોજાતા જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગામો માંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

આ મેડિકલ કેમ્પ દર પંદર દિવસે એટલે કે મહિનાના બીજા અને ચોથા શનિવારે વિધાતાનગર, અગ્રાવત ચોક, જોષીપરા ખાતે સતત ચાલુ રહેશે જેનું સંચાલન વિહિપ સેવા પ્રમુખ પરાગભાઇ તન્ના, જોગીભાઈ કોટેચા સહીતના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે તેવુ જુનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરના મંત્રી જયેશભાઈ ખેસવાણી એ જણાવ્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)