જૂનાગઢનાં દાતાર ઉર્ષમેળા સંદર્ભે ૧૭/૯/૨૦૨૪ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા પરમીટ મેળવવી જરૂરી.

જૂનાગઢ

જૂનાગઢ ખાતે દાતાર ઉર્ષમેળો યોજાનાર છે. તેમજ ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધિ, મહેંદી રસમ જેવા કાર્યક્રમો કરવામાં આવનાર છે. ત્યારે દાતાર ઉર્ષના મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિલિંગ્ડન ડેમથી ઉપલા દાતાર ની જગ્યા સુધીનું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ મુજબ ૧૩,સપ્ટેમ્બર ૨૦૨૪ થી ૧૭,સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.

જે અન્વયે ૧૭/૯/૨૦૨૪ સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીની પરમિટ મેળવીને ઉપર જનાર અને પરમીટની શરતો મુજબ વર્તનારને લાગુ પડશે નહીં. આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખ અને કલાકો દરમિયાન ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી, અધિકારીશ્રીઓ તથા બંદોબસ્તના ફરજ પરના કર્મચારી અને અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી તે હેતુસર આ જાહેરનામું પોલીસ અધિક્ષકશ્રીની આજ્ઞાનુસાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)