જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા વરસતા વરસાદમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પ્રસાદ, રેઇનકોટ અને ચપ્પલનું વિતરણ કરાયું.

જૂનાગઢ

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તાજેતરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેમાં જૂનાગઢ શહેરની ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વરસાદથી બચવા માટે દાતાશ્રીઓના સહયોગથી રેઇનકોટ તથા પગમાં પહેરવા માટેના ચપ્પલનું વિતરણ કરવામાં આવેલ હતું. જેની સાથે આ લોકો ની જઠરાગ્નિને ઠારવા માટેનો નાનકડો એવો પ્રયાસ ભોજન પ્રસાદ કરાવીને કરવામાં આવેલ છે.

આ પ્રવૃત્તિઓમાં ગિરનારી ગ્રુપ ના સભ્યશ્રીઓ શ્રી દિનેશભાઈ રામાણી, સમીરભાઈ ઉનડકટ, પ્રો.પી. બી. ઉનડકટ, બીપીનભાઈ ઠકરાર, કશ્યપભાઈ દવે, અક્ષયભાઈ કુબાવત, પરેશભાઈ સાવલિયા, સુધીરભાઈ રાજા, વિશાલભાઈ અભાણી વિગેરે એ પોતાની સેવા આપેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)