જૂનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતી બેઠક યોજાઈ.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ

યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક મળ્યા

૭૦ કરોડથી વધુના વિકાસ કામોને મંજૂરી અપાઈ

પી.એમ. ઉષા અનુદાનથી રૂ. ૧૨.૯૭ કરોડના રેકોર્ડિંગ સ્ટુડિયો, અતિથિ ભવન અને કોમ્પ્યુટર લેબના કામોને મંજૂરી

વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ માટે રૂ. ૯.૮૪ કરોડના નવા ભવન માટે ટેન્ડર પ્રક્રિયા મંજૂર

યુનિવર્સિટી કેમ્પસના કમ્પાઉન્ડ વોલ, ફર્નિચર સહિતના રૂ. ૪૮ કરોડના ખર્ચના વિકાસ કાર્યો મંજૂર

મહર્ષિ વેદ વ્યાસ ચેર અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેર સ્થાપનની મંજૂરી

નવા સંશોધન કેન્દ્રની સ્થાપનાને પણ લીલી ઝંડી

રાજ્ય સરકારે મંજૂર કરેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે મંજૂરી

કુલપતિએ રાષ્ટ્રીય કક્ષાના સામાજશાસ્ત્ર ભવન દ્વારા આયોજિત પરિષદની માહિતી આપી

વિદ્યાર્થીઓ માટે સેમિનાર અને શૈક્ષણિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોની જાહેરાત

કુલપતિએ કહ્યું – યુનિવર્સિટીનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહિયારા પ્રયાસ જરૂરી

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની સ્પર્ધા માટે તૈયાર કરવાનો નિર્દેશ

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ