જૂનાગઢ: ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતિ નિમિત્તે વિશેષ પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી અને તેમના કાર્યો પર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભુતનાથ મહાદેવ મહાઆરતીનો પણ પવિત્ર કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી બાપુ, પ્રદેશ વક્તા વિશાલભાઈ જોષી સહિત અનેક જાણીતા નેતાઓ અને સામાજિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં પલ્લવીબેન ઠાકર, મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, સંયોજક મુકેશભાઈ ગજેરા અને અન્ય સહ સંયોજકો સહિત યોગીભાઈ પઢીયાર, ભરતભાઈ કારેણા, ઓમભાઈ રાવલ, મનોજભાઈ પોપટ, કનકબેન વ્યાસ, સંજયભાઈ મણવર અને અનેક મહિલાઓ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો.
આ કાર્યક્રમમાં પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરના જીવન અને સેવા કાર્યને યાદ કરી, તેમનાં ગુણગાન અને પ્રેરણાદાયક વિચારોનું વિમર્શ કરવામાં આવ્યું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ