જૂનાગઢમાં અમરનાથ યાત્રિકોનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.

જૂનાગઢ

અમરનાથ યાત્રિક મંડળના સાહસીક યાત્રિક શ્રી બિપીનભાઇ જોષી, શ્રી અરજણભાઇ ભાટુ તથા શ્રી જયસુખભાઇ મકવાણા બાર જ્યોતિર્લીગ ૯૦૦૦ કિ.મી.ની મોટર સાયકલ યાત્રા 30 દિવસમાં સંપન્ન કરી જૂનાગઢ આવી રહેલ છે. ત્યારે આ સાહસીક યાત્રિકો નુ તા.10/7/24 ને બુધવારે ચંન્દ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન, જૂનાગઢ ખાતે સવારે 9-00 કલાકે સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક સભ્ય તથા શુભેચ્છકો ને આ તકે હાજર રહેવા વિનંતિ કરવામાં આવેલ છે.

ફૂલહારથી યાત્રિકોનુ સ્વાગત કર્યા બાદ સૌ સાથે બાઇક રેલીમાં જોડાય અને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સાથે પહોચવાનુ છે શ્રી ભૂતનાથ મંદિર,જૂનાગઢ ખાતે મહંતશ્રી મહેશગીરી બાપુ ના આશિર્વચન બાદ કાર્યક્રમ પૂર્ણ થશે તેમ પ્રમુખશ્રી,અમરનાથ યાત્રિક મંડળ, જૂનાગઢ ની યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)