જૂનાગઢમાં ઉપરકોટ ખાતે 14 જૂન વિશ્વ રક્ત દાતા દિવસ નિમિતે રક્તદાન શિબિર યોજાશે

જૂનાગઢ
. આગામી 14 જૂન વિશ્વ રક્ત દાતા દિવસ નિમિતે સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા ઉપરકોટ કિલ્લો માં રક્ત દાનની મહત્વપૂર્ણતાને જાગૃત કરવા માટે આયોજિત 14 જૂન 2024 ના રોજ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં સાથે તમે ઇતિહાસમાં ભાગ લેવાનું અને સાથેજ જીવ બચાવવાનું અનુભવ કરી શકો છો. ! રક્તદાન કરનાર વ્યક્તિ ને ઉપરકોટ કિલ્લા માં પ્રવેશ વિનામૂલ્યે રહશે. આ કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરવા માટે, કૃપા કરીને 8735047350 નંબર પર કૉલ કરો. રજીસ્ટ્રેશન સમય: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી. આધાર કાર્ડ સાથે રાખવું તેમજ રજિસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે. ચાલો રક્તદાન શિબિરમાં જોડાઈએ.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)